વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગ્રંથ વિભાગની ચાર બેઠકો માટે 14 માર્ચે ચૂંટણી યોજાશે
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ ટેમ્પલ મેનેજર ટ્રસ્ટી બોર્ડની ગ્રંથ વિભાગની બાકી રહેલી ચાર બેઠકો માટે 14 માર્ચે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં 11 ઉમેદવારો મેદાનમાં છે.જો કે તે પહેલા સિદ્ધાંત પક્ષના ઉમેશભાઇ અમીન, જગદીશભાઈ, નારાયણભાઈ ભરવાડ, ભરતભાઈ અમીને વડતાલ મંદિરની ચૂંટણી માટે નિમાયેલા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણીનો બહિષ્કાર કર્યો