Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન

Continues below advertisement

નડીયાદના યોગીફાર્મમાં યોજાયેલા ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળલગ્ન અને વહેલી ઉંમરે માતા બનતી સગીરાઓને લઈને વ્યક્ત કરી ચિંતા.. દેવુસિંહે જાહેર મંચ પરથી સત્તાવાર આંકડાકીય માહિતી સાથે સમાજમાં હજુ પણ બાળલગ્નની કુપ્રથાનો સ્વીકાર કર્યો. દેવુસિંહ બોલ્યા કે હાલના સમયમાં પણ કેટલીક જૂની માન્યતાઓના કારણે દીકરા-દીકરીઓના વહેલી ઉંમરે લગ્ન કરાવી દેવાની પ્રથા અસ્તિત્વ ધરાવે છે.. જેને લીધે જે દીકરી પોતે હજુ બાળક સમાન છે તેને જ કુમળી વયે માતૃત્વ ધારણ કરવુ પડે છે.. મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 17 વર્ષની ઉંમરે 18 જેટલી સગીરાઓએ ગર્ભ ધારણ કર્યો હોવાનું અને 18 વર્ષની ઉંમર વટાવે તે પહેલા અન્ય 48 જેટલી સગીરાઓએ  માતા બની હોવાનો આંકડો પણ સાંસદ દેવુસિંહે રજુ કર્યો.. આંકડાનું વિશ્લેષણ કરતા સાંસદે બાળ લગ્ન અટકાવવામાં સમાજ સુરક્ષા વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હોવાની પણ વાત કરી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola