ફિક્સ પેના સરકારી કર્મચારીઓને લઈ નાણા વિભાગે શું લીધો મહત્વનો નિર્ણય ? જુઓ વીડિયો
ગાંધીનગર: ફિક્સ પેના સરકારી કર્મચારીઓને લઈ રાજ્યના નાણાં વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત સરકારી નોકરી છોડી એજ વર્ગમાં કામ કરતા કર્મીઓ ફરી એજ જગ્યા પર પરત આવી શકશે. સરકારી કર્મચારી રાજીનામાંના એક વર્ષમાં પરત આવી શકશે. શિસ્ત બાબતે લેવાયેલા પગલાંના કેસ માં ઠરાવ લાગુ નહીં પડે. તાલીમનો ખર્ચ પણ કર્મચારી જોડે વસુલ કરવામાં આવશે. કર્મચારી ની નોકરી સળંગ ગણવામાં આવશે નહી.કરાર આધારિત ફિક્સ પે ના કર્મચારીઓ ને લાગુ રહેશે નિર્ણય.