Gandhinagar News | LRDની ભરતી 2021માં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કાર્યવાહી
abp asmita
Updated at:
13 Aug 2024 10:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGandhinagar News | LRDની ભરતી 2021માં ગેરરીતિ આચરનાર 37 ઉમેદવારો સામે કાર્યવાહી
રાજ્ય સરકારે લોકરક્ષક ભરતી 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન થયેલ ગેરરીતિ મામલે એક્શન લીધી છે. ઉમેદવારોના હિતમાં અને ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે, 37 ઉમેદવારોને સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.
લોકરક્ષકની ભરતી 2021માં ગેરરીતિ આચરનાર ઉમેદવારોને દોષિત ઠેરવીને સરકારે આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીમાં ઉમેદવારી નહીં નોંધાવી શકે તે માટેનો નિર્ણય લીધો છે. લોકરક્ષક ભરતી 2011-RRની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ આચરનાર કુલ 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં 28/05/2024 થી આગામી 3 (ત્રણ) વર્ષ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.