ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

આણંદ જિલ્લાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે.  આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન છે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે.  તેઓ બે ટર્મથી ધારાસભ્ય છે.  ગોવિંદભાઈ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. અનેક સામાજીક કાર્યોમાં  પણ  સક્રિય હતા. તેમના નિધનથી ભાજપમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

નિધનના સમાચાર મળતા ભાજપા નેતાઓ અને અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.  ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને ગોવિંદભાઈ પરમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola