'એવો કોઇ વિદ્યાર્થી હોય કે જેને ત્રીજા સેમેસ્ટરમાં એટીકેટી બાકી હોય તો શું એને તમે ચોથા સેમેન્ટરમાં લઇ જશો કે નહીં'
રાજ્યની ખાનગી અને સરકારી યુનિવર્સિટી કોલેજમાં મેરિટ બેઈઝડ પ્રોગ્રેશન અપાશે. યુનિવર્સિટી કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા,ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરમાં પ્રોગ્રેશન અપાશે. મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો સેમિસ્ટર 2-4-6ને લાભ મળશે. 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે. રાજ્યના 9 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે.