'હું સ્પષ્ટપણે કહી શકીશ કે આ ખેડૂતોની મજાક છે, આવનારા 10 વર્ષની અંદર પણ મારો તાલુકો બેઠો થઇ શકશે નહીં'
રાજકોટમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. તૌકતે વાવાઝોડાથી ખેડૂતોના નુકશાન બાદ રાજ્ય સરકારના રાહત પેકેજને લઈને કૃષિમંત્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ખોટી કોમેન્ટ પાસ કરી રહ્યા છે. મેં અનેક વાવાઝોડા જોયા છે. મને વાવાઝોડાનો અનુભવ છે. 87 ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં 2 લાખ રૂપિયા મળશે.ઉનાળુ પાકમાં જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોને એક હેકટર દીઠ 20000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
Tags :
Bhavnagar Gujarat Government Junagadh Farmers South Gujarat Chief Minister Vijay Rupani Amreli Relief Package Agriculture Botad Damage Horticulture Crops Saurashtra Region Cyclone Tauktae Gir-Somnath