'હું સ્પષ્ટપણે કહી શકીશ કે આ ખેડૂતોની મજાક છે, આવનારા 10 વર્ષની અંદર પણ મારો તાલુકો બેઠો થઇ શકશે નહીં'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2021 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. તૌકતે વાવાઝોડાથી ખેડૂતોના નુકશાન બાદ રાજ્ય સરકારના રાહત પેકેજને લઈને કૃષિમંત્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ખોટી કોમેન્ટ પાસ કરી રહ્યા છે. મેં અનેક વાવાઝોડા જોયા છે. મને વાવાઝોડાનો અનુભવ છે. 87 ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં 2 લાખ રૂપિયા મળશે.ઉનાળુ પાકમાં જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોને એક હેકટર દીઠ 20000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.