ગુજરાતમા દિવાળીમાં ફટાકડા ફૂટશે કે નહી તેનો ક્યાં સુધીમાં લેવાશે નિર્ણય?

રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફૂટશે કે નહીં તેનો આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે NGTએ જાહેર કરેલ ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકાર આજ સાંજ સુધી આ નિર્ણય જાહેર કરશે. જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે ગુજરાતને બહુ અસર ન થાય તેવો ચુકાદો છે. NGTના આદેશમાં ઓછા પ્રદૂષણ ધરાવતા શહેરોને રાહત થઈ છે. NGTના આદેશ પ્રમાણે જે રાજ્યોના શહેરમાં પ્રદૂષણ વધુ હશે ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે જે શહેરોમાં પ્રદૂષણ ઓછું હશે ત્યાં બે કલાક ફટાકડા ફોડવાની છૂટ આપી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola