ગુજરાતની જનતા કદાચ ઈચ્છી રહી છે કે, રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવે.............
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં વધી રહેલા કોરના કેસના કારણે લોકડાઉન લાદવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ઘણી વખત લોકડાઉન નહીં લગાવાય તેમ સ્પષ્ટતા કરી ચુક્યા છે.