ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર બુલ બેલ એકેડમીના CEO અંકુર પટેલના વિચાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર , રૂટસ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી તનુજ પટેલ, બુલ બેલ એકેડમીના CEO અંકુર પટેલ અને ઇડી વર્લ્ડ એજ્યુકેશનના ડિરેક્ટર ધર્મશ પટેલે અને ટ્રસ્ટી, શુભમ કોલેજ ઓફ નર્સિગના ટ્રસ્ટી દેવીબેનના મીડિયા સમક્ષ તેમના વિચાર રજૂ કર્યાં હતા.
કહેવામાં આવે છે કે કોઈપણ દેશ કે રાજ્ય માટે તેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું ખૂબ મહત્વ હોય છે. કારણે આ ઉદ્યોગો રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે સાથે જ રાજ્ય માટે મોટી આવક પણ ઉભી કરે છે. આજે ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. ગુજરાતના વિકાસમાં એમએસએમઈની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમએસએમઈ રાજ્યની કરોડરજ્જૂ સમાન છે. ગુજરાતના આ જ ઉદ્યોગમાંથી અમે કેટલાક ચહેરા પસંદ કર્યા છે જેમની પ્રેરક કથા, ઈન્સપાયરીંગ સ્ટોરી વિશ્વ સમક્ષ પહોંચાડવા તેનું તેનું સન્માન કરવામાં આવ્યું હતું.