Asaram Bapu news: આસારામના વચગાળાના જામીન હાઈકોર્ટે લંબાવ્યા

દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વઘોષિત ધાર્મિક નેતા આસારામને ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે. આ રાહત સંપૂર્ણપણે તબીબી કારણો પર  આધારિત છે.

આસારામને સગીરા પર દુષ્કર્મ કરવાના ગંભીર આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ગુનો જોધપુરમાં તેમના ગુરુકુળ આશ્રમમાં થયો હતો, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

12 ઓગસ્ટના રોજ, હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન 29  ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા.આ ત્રીજી વખત હતું જ્યારે તેમને તબીબી કારણોસર રાહત મળી હતી.જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola