ગુજરાતના ક્યા જિલ્લામાં તલાટીઓને છૂટા કરી દેવામાં આવશે, જાણો કોણે આપ્યો આદેશ?
બનાસકાંઠાના પાલનપુર તાલુકા પંચાયતની સામાન્ય સભામા તલાટીઓની અનિયમિતતાના મુદાને લઈ ગ્રામીણ વિસ્તારોમાં તલાટીઓની ગેરહાજરીને લઇને કોંગ્રેસ અને ભાજપના સદસ્યોએ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જોકે પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ આદેશ કર્યો હતો કે તલાટીઓ હવે અનિયમિત જોવા મળશે તો તેઓને છૂટા કરી દેવાશે.