રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા જ પાણીનો જથ્થો જેથી સિંચાઇ માટે પાણી આપવું શક્ય નથીઃ નીતિન પટેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ નિવેદન આપ્યું હતું કે, રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા જ સુધી પાણી છે જેથી સિંચાઈ માટે આપી શકાય એમ નથી. માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોવાથી સિંચાઈનું પાણી આપવું શક્ય નથી અને આ વર્ષ ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે. જો કે આ તરફ 10 ઓગસ્ટે જાહેર કરેલી સરકારી પ્રેસ નોટમાં ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાની સરકારે જાહેરાત કરી હતી પરંતુ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિંચાઈનું પાણી આપવામાં અસમર્થતા દર્શાવી છે