લોકડાઉન સોલ્યુશન નથી, વેપાર-ધંધા બંધ ના કરી શકાય, એ ધીમી ગતિએ પણ ચાલુ રહે એ જરૂરી છે, અમે કરફ્યુની તરફેણમાં નથી...
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં 4 હજારથી વધુ કેસો નોંધાયા હતા. ત્યારે રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા અનેક ગામો-શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે.