Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર

Continues below advertisement

દેશમાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય જહાજ "નંદા દેવી" વાડીનાર બંદરે પહોંચ્યું છે, જે 46,500 મેટ્રિક ટન LPG લઈને પહોંચી ગયું છે. LPG કેરિયર હાલમાં નંદા દેવીથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે.

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વાડીનાર ટર્મિનલ નજીક મધ્ય સમુદ્રમાં LPG કેરિયર નંદા દેવી પહોંચી ગયું છે. સમગ્ર 46,500 મેટ્રિક ટન LPG નંદા દેવીથી મધ્ય સમુદ્રમાં બીજા જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. એકવાર આ કાર્ય પૂર્ણ થઈ જાય પછી અડધો LPG એન્નોર બંદરે અને બાકીનો અડધો પશ્ચિમ બંગાળના હલ્દિયા બંદરે ઉતારવામાં આવશે.

DPAના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહ, IRSME એ પણ MT નંદા દેવીના કેપ્ટન અને ક્રૂ સાથે વાતચીત કરવા અને માર્ગદર્શન આપવા માટે જહાજની મુલાકાત લીધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola