પ્રબોધ સ્વામીને લઈને પ્રેમસ્વરૂપ સ્વામીનું મોટું નિવેદન
આણંદ: ધર્મજ ખાતે પ્રેમસ્વરૂપ સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 11 મીએ હરિધામ સોખડામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થશે. હાલ સોખડા હરિધામ મંદિરમાં બે જૂથો વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. હરિધામ સોખડામાં તમામ લોકોને આમંત્રણ. પ્રબોધ સ્વામી અમારાથી અલગ થયા છે. એમને આવવું હોય તો પણ આપના માધ્યમથી એમને આમંત્રણ આપીએ છીએ.