'જો રાહુલ ગાંધીના બધા વિષયનો જવાબ આપવો મારે જરૂરી એટલા માટે નથી લાગતુ કે....'
કોરોના કાળમાં ઈંજેકશન હોય કે એમ્બ્યુલંસ, વિતરણથી લઈ દર્દી દાખલ કરવા સુધીના મામલાઓમાં રાજ્ય સરકાર વારંવાર નિર્ણયો બદલતી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની નીતિ અને નિર્ણયો અલગ અલગ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં વારંવાર સરકારને ચેતવી પણ સરકારે અમારી મજાક ઉડાવી અને કોવિડ પર જીત મેળવી લીધી તેવા દાવાઓના આ પરિણામો છે.નીતિન પટેલે કહ્યું કે, વિપક્ષને પુરતી તક સરકાર આપતી રહી છે. તબીબો અનુભવના આધારે ઉત્તમ સેવા કરી રહ્યા છે. કોરોના કાળમાં પ્રજાને ડરાવવી ન જોઇએ.
Tags :
Covid-19 Bjp Congress Rahul Gandhi Coronavirus Nitin Patel Gujarat CM Corona Epidemic COVID-19