Raju Bapu Controversy: 'રાજુ બાપુ ઢોંગી છે': બાપુના ઘરે પહોંચી ઠાકોર- કોળી સમાજે નારા લગાવ્યા

Continues below advertisement

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી બફાટ કર્યો હતો. વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવા બદલ રાજુગીરી બાપુ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ સ્થિત રહેણાક નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો આવ્યા હતા અને ‘રાજુ બાપુ ઢોંગી છે’, ‘રાજુ બાપુ હાય હાય’ ના નારા લગાવ્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો.

જો કે, વિરોધ વધુ વકરતા રાજુ બાપુએ ફરી એકવાર જાહેરમાં માફી માગી છે. કથાકાર રાજુ બાપુએ  જાહેરમાં રડતા રડતા માફી માગી છે. દરમિયાન, માનવમંદિરના સંત ભક્તિરામ બાપુ પણ હાજર રહ્યા હતા. જો કે, રાજુ બાપુ દ્વારા માફી માગ્યા બાદ પણ કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે અને સમાજના લોકો રાજુબાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની માગ કરી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram