Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત
Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત
જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. આગના લીધે 3 જિંદગી હોમાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.