સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરા ગામનો જવાન જમ્મુ કાશ્મીરમાં થયા શહીદ, જુઓ વીડિયો
સાયલા તાલુકાના ચોરવિરા ગામનો જવાન જમ્મું કાશ્મીરમાં ફરજ દરમિયાન શહિદ થયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા શહીદને ગોળી વાગતાં શહિદ થયા હતા. દેશની સેવા અને સુરક્ષા માટે જવાન શહીદ થતા પરીવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ. રઘુભાઈના પાર્થિવ દેહને હાલ વતન લાવવામાં આવી રહ્યો છે. મંત્રી શ્રીકુંવરજી બાવળિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો શહીદના વતન પહોંચ્યા હતા.