IIT, આર્કિયોલોજી વિભાગનો સર્વે, સોમનાથ મંદિર નીચે ત્રણ ઇમારત હોવાનું બહાર આવ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોમનાથ મહાદેવ મંદિરનો સદીઓ જૂનો ઇતિહાસ સામે આવ્યો છે. પુરાતત્વ વિભાગે કરેલા સંશોધનમા સોમનાથ પરિસરનાં ભૂગર્ભમાં એલ આકારની ત્રણ માળની ઇમારત હોવાનું બહાર આવ્યું હતું. ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરનાં તજજ્ઞોએ આર્કયોલોજીમાં વપરાતા ખુબજ કિંમતી અને હેવી મશીનો સાથે પ્રભાસપાટણ આવી સોમનાથ તીર્થમાં સર્વે કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદરથી વાઇબ્રેશન આવે એના પરથી ભૂતળની અંદર રહેલ આકારનો ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે.