Visavadar by Election: વિસાવદરથી સી.આર.પાટીલે ગેનીબેનને આપ્યો જવાબ

આજે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલે વિસાવદરના ભેંસાણમાં રેલીને સંબોધી હતી, ચૂંટણી પ્રચાર કરતાં તેમને કોંગ્રેસ અને આપ બન્ને પર જોરદાર પ્રહારો કર્યા હતા. વિસાવદરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રચંડ પ્રચાર કરતાં નામ લીધા વિના કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. પાટીલે કહ્યું કે, દિલ્લીની જનતાએ કેજરીવાલને પણ હરાવી દીધા છે. 2022માં વિસાવદર બેઠક સાત હજાર મતથી હાર્યા હતા. વિસાવદરના વિકાસ માટે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા છે. હાર બાદ પણ હર્ષદ રિબડિયા વિસાવદરમાં સક્રિય રહ્યાં છે. હર્ષદ રિબડિયા અને ભૂપત ભાયાણી પણ દાવેદાર હતા. બંનેએ પાર્ટીના મેન્ડેટને માન આપી મહેનત કરી રહ્યાં છે. 

સીઆર પાટીલે આપ પર વધુ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ગોપાલ ઈટાલિયાએ ફોર્મ ભર્યું ત્યારે AAP ગુજરાતના એક પણ નેતા ન હતા આવ્યા. દિલ્લીથી હારેલા નેતાઓ ફોર્મ ભરવા આવ્યા હતા. ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં ગુજરાત AAPના કોઈ નેતા નથી. 2022માં 20 બેઠક પાંચ હજારથી ઓછા અંતરથી હાર્યા હતા. પાટીલે કહ્યું કે, આ વખતે કોઇ ખોટી વાતોમાં આવતા નહીં, કોઈ લાલચમાં આવતા નહીં, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો. વિસાવદરમાં ભાજપની જીત નિશ્ચિત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola