કોરોનાથી જેમના માતાપિતાનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપશે આ યુનિવર્સિટી
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનામાં જે વિદ્યાર્થીના માતા- પિતાનું અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. અને આ નિર્ણય નવા સત્રથી લાગુ પડશે.