આ વર્ષે જૂનાગઢમાં મહાશિવરાત્રિએ ભવનાથનો મેળો યોજાશે કે નહીં? જુઓ વીડિયો
જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતો શિવરાત્રિનો મેળાને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા મેળા માટે તૈયારી શરૂ કરી દેવાઇ છે. આગામી 11 માર્ચે શિવરાત્રી છે. જૂનાગઢ મહાનગરપાલિકાને હજુ સુધી સરકાર તરફથી મેળા અંગે કોઇ સૂચના નથી અપાઇ ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તૈયારમાં લાગી ગઇ છે.