Bangladesh Crisis । બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે સરકારને શું કર્યો આગ્રહ

 બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે સરકારને શું કર્યો આગ્રહ

બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે કહ્યું બાંગ્લાદેશના નાગરિકોએ જે પ્રકારનું તાંડવ બનાવ્યું છે તેનાથી આજે હૃદય ખૂબ જ દુઃખી છે. ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ પર જે પ્રકારનો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. નાની બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. તેઓને લૂંટવામાં આવી રહ્યાં છે. જે મંદિરે બાંગ્લાદેશની આઝાદીના સમયે લાખો લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. તે ઈસ્કોન મંદિરમાં ત્યાંના હિંસક દેખાવકારોએ તેને આગ લગાવીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારત સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું કેન્દ્ર છે. ભારત સરકારે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની ચિંતા કરવી જોઈએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola