કેન્દ્રિય ગૃહ મંત્રાલયનો રાજ્યોને આદેશ- નિયમોનો ભંગ થાય ત્યાં લોકડાઉન લગાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2021 10:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ (Union Home Secretary Ajay Bhalla) બજારો તથા પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને (Chief Secretaries and Administrators of State/UTs)સચેત કર્યા છે. તેમણે કહ્યું કે ભીડ પર નિયંત્રણ રાખવા જિલ્લા તથા સ્થાનિક અધિકારીઓ કડક નિર્દેશ જાહેર કરે, જેથી કોવિડ-19ને (Covid-19) ફેલાતો રોકી શકાય. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ સંબંધિત યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આ જગ્યા પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવાશે અને ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે