
Grenade Attack in Srinagar | શ્રીનગરમાં CRPFના બંકર પર મોટો ગ્રેનેડ એટેક, 12 લોકો ઈજાગ્રસ્ત.
Continues below advertisement
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલા વધી રહ્યા છે. શ્રીનગરમાં રવિવાર (3 નવેમ્બર, 2024)ના મોટો ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનની બહાર CRPFના બંકર પર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલામાં 12 નાગરિકો ઘાયલ થયા છે. ગઈકાલે, અનંતનાગ અને શ્રીનગરના ખાનયારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પાકિસ્તાન સ્થિત લશ્કરનો એક વરિષ્ઠ કમાન્ડર પણ સામેલ છે, જે કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે વિસ્તારના એક ઘરમાં છુપાયેલો હતો.
પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલામાં 12 નાગરિકો ઘાયલ થયા છે. ઘટના બાદ કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તપાસ માટે તૈનાત કરવામાં આવ્યું છે. હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
Continues below advertisement
Tags :
Grenade Attack In Srinagar