જો અમારા પર હુમલો થયો તો જડબાતોડ જવાબ આપીશુંઃ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટુ નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે આવ્યા છે. સૈયદ અબ્બાસ અરાઘચી સાથે દ્વિપક્ષીય બેઠકમાં એસ જયશંકરે કહ્યું કે તમે એવા સમયે આવ્યા છો જ્યારે અમે પહેલગામમાં થયેલી બર્બરતાનો જવાબ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ હુમલાએ અમને 7 મેના રોજ સરહદ પાર આતંકવાદી માળખા પર હુમલો કરીને જવાબ આપવાની ફરજ પાડી. આ દરમિયાન, એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી સમક્ષ પાકિસ્તાનને ચેતવણી આપી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના ઈરાની સમકક્ષને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે ભારતનો પ્રતિભાવ દૃઢ અને માપેલ હતો. એસ જયશંકરે કહ્યું, "અમારો પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો કોઈ ઈરાદો નથી. જો કે, જો અમારા પર લશ્કરી હુમલો થશે, તો તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે તેનો ખૂબ જ જોરદાર જવાબ આપવામાં આવશે."