કોરોના વાયરસમાં હાર્ટ અટેકના જોખમને ટાળવા શું કરવું,જાણો એકસપર્ટે શું આપી સલાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 05:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ દરમિયાન હાર્ટ અટેકના કેસ પણ વધી રહ્યાં છે. કોરોનાથી રિકવર થયા બાદ અથવા તો કોરોના સંક્રમણ દરમિયાન દર્દીનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. આવું ક્યાં કારણે બની શકે છે અને તેનો ઇલાજ શું હોઇ શકે, આ મામલે દિલ્લી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી છે. કોરોના વાયરસ બ્લડમાં ક્લોટિંગને પ્રમોટ કરે છે. ફેફસાની નળીમાં ક્લોટ્સ બની જાય છે અને ઓક્સિજન લેવલ ડાઉન થાય છે.હાર્ટમાં ક્લોટસ જવાથી કોરોના દર્દીમાં હાર્ટ અટેકનું પણ જોખમ રહે છે.જો આ બ્લડ ક્લોટ્સ બ્રેઇનમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક પણ થઇ શકે છે.મોડરેટ કેસમાં એન્ટી ક્લોન્ટિંગ મેડિસિન આપવામાં આવે છે.જેથી બ્લડ પાતળું રહે અને બ્લડ ક્લોટિંગ ન થાય