Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Continues below advertisement
ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે (24 નવેમ્બર, 2025) તેમને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે શપથ લેવડાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં તેમણે CJI તરીકે શપથ લીધા હતા.
ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈનો CJI તરીકેનો કાર્યકાળ 23 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થયો. તેમણે સાડા છ મહિના સુધી આ પદ સંભાળ્યું હતું. ન્યાયાધીશ સૂર્યકાંતનો CJI તરીકેનો કાર્યકાળ આશરે દોઢ વર્ષનો રહેશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027ના રોજ નિવૃત્ત થશે. હાલમાં તેઓ 63 વર્ષના છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement