Pahalgam Terror Attack Updates: અત્યાર સુધીમાં છ આતંકીઓના ઘર તોડી પડાયા, જુઓ એક્શન

Pahalgam Terror Attack Updates: અત્યાર સુધીમાં છ આતંકીઓના ઘર તોડી પડાયા, જુઓ એક્શન 

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરો ભારતીય સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. નવી કાર્યવાહીમાં, ખીણની અંદર સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરો તોડી પાડવામાં આવ્યા છે. જૂન 2023 થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IED નો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. તે પુલવામાના મુરાનનો રહેવાસી છે.

આવી જ બીજી એક કાર્યવાહીમાં, બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું. પહેલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં કુલ 6 આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola