Pariksha Pe Charcha 2026: PM મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા

Pariksha Pe Charcha 2026 :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (6 ફેબ્રુઆરી, 2026) સવારે 10 વાગ્યે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરી. PM  મોદી દર વર્ષે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે, જેનો હેતુ પરીક્ષાના સ્ટ્રેસને  દૂર કરવાનો છે. પીએમ મોદીએ 2018 માં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો. હવે, આ કાર્યક્રમ અન્ય રાજ્યોમાં પણ યોજાય છે, જે અગાઉ દેવમોગરા, કોઈમ્બતુર, રાયપુર, ગુવાહાટી અને અન્ય શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કરી ચૂક્યો છે. આ "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમની 9મી આવૃત્તિ છે, જેના માટે લાખો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

પીએમ મોદીએ બાળકોને આ સલાહ આપી
પીએમ મોદીએ કહ્યું કે, જીવનમાં શિક્ષણ જરૂરી છે અને સામાજિક જીવનમાં પણ મહત્વપૂર્ણ છે, પરંતુ રમત પણ  ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે જો પરિવારમાં કોઈ બાળક તેજસ્વી હોય, તો તેની પાસેથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.

પીએમ મોદીએ બાળકોને આ પ્રશ્નો પૂછ્યા.
પીએમ મોદીએ બાળકોને કહ્યું, "તમે મને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. હવે, હું તમને એક પ્રશ્ન પૂછું." તેમણે પૂછ્યુ, "ભારત સંપૂર્ણ વિકસિત ત કયા વર્ષમાં હશે?" બાળકોએ જવાબ આપ્યો, "2047." પીએમ મોદીએ પૂછ્યું, "તે સમયે તમારી ઉંમર કેટલી હશે?" બાળકોએ જવાબ આપ્યો, "તેઓ 39 થી 49 ની વચ્ચે હશે." પીએમ મોદીએ પછી કહ્યું, "મારું આ સ્વપ્ન તમારા બધા માટે ઉપયોગી થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola