Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સ્પીકર ઓમ બિરલાએ બોલીવુડ અભિનેતા અને બિકાનેરના ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. કર્નલ સોના રામ ચૌધરી, શ્રી પ્રકાશ જયસ્વાલ અને રવિ રાયને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

પીએમ મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ રાધાકૃષ્ણન વિશે કહ્યું, "હું માનું છું કે જાહેર જીવનમાં અવ્યાવસાયિક બનવાનું મૂલ્ય છે, અને અમે સેવા પ્રત્યેનું તમારું સમર્પણ જોયું છે. મેં જોયું કે,  પહેલી વાર કાશીની મુલાકાત લીધા બાદ  તમે  માંસાહાર છોડી દીધું. કાશીના સાંસદ તરીકે, આ મારા માટે પણ ગર્વની વાત છે."

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "તમને લાંબા સમયથી ઓળખવાનું મારું સૌભાગ્ય રહ્યું છે. મને તમારી સાથે કામ કરવાની તક પણ મળી છે."

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola