Pariksha Pe Charcha 2026 : PM મોદીની વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા'

Continues below advertisement

બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે "પરીક્ષા પે ચર્ચા 2026" નો બીજો એપિસોડ રિલીઝ કરવામાં આવ્યો છે. આજના એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુર, તમિલનાડુ, રાયપુર, ગુજરાત અને ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. 

વડાપ્રધાન મોદીએ ગુજરાતના દેવ મોગરા ખાતે આદિવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી. એક વિદ્યાર્થીએ કહ્યું કે તેમના માતાપિતાએ તેમને કહ્યું કે તેમણે રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ઘણું કર્યું છે. જેની પ્રેરણા ક્યાંથી મળી. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમણે પીએમ જનમન યોજના શરૂ કરી છે. આદિવાસી સમુદાયમાં ઘણા એવા લોકો છે જે ખૂબ જ પાછળ છે. તેમના માટે એક અલગ યોજના બનાવવામાં આવી છે. તેઓ હંમેશા માનતા હતા કે શિક્ષણ પર વધુ ભાર આપવાની જરૂર છે. આપણે જેટલું તેના પર ભાર મૂકીશું, તેટલો ઝડપી વિકાસ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola