'મન કી બાત'માં PM મોદીએ કહ્યુ- 26 જાન્યુઆરીએ થયેલા ત્રિરંગાના અપમાનથી દેશ દુ:ખી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષની પહેલી મન કી બાત કાર્યક્રમ યોજ્યો. પીએમ મોદીએ કેટલાક ખાસ મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આમાં એક મુદ્દે દિલ્હીના લાલ કિલ્લાની ઘટનાનો પણ હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને 26મી જાન્યુઆરીના દિવસે એક મોટી ઘટના ઘટી હતી.પીએમ મોદીએ મન કી બાતમાં 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર તિરંગાના અપમાનની ઘટનાનો ઉલ્લેખ કરતા દુઃખ વ્યક્ત કર્યુ હતુ.