ચિંતા ના કરશો ચિંતન છેઃ કોરોનાની રસી કોવેક્સિન કોણે ન લેવી? કંપનીએ શું આપી સલાહ?
કોરોનાની વેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેકે ફેક્ટશીટ બહાર પાડીને કહ્યું કે, કઈ વ્યક્તિએ કોરોનાની રસી ન લેવી અને કઈ વ્યક્તિએ લેવી જોઈએ. કંપનીનું કહેવું છે કે, જો કોઈ બીમારીને કારણે તમારી અમ્યુનિટી નબળી છે અને તેની કોઈ દવા લઈ રહ્યા છો જેનાથી તમારી ઇમ્યુનિટી પ્રભાવિત થાય તો તમારે આ રસી ન લેવી જોઈએ.