બિહારમાં નેતાઓ વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરનારાઓ પર થશે કેસ, જુઓ વીડિયો
હાલમાં બિહારમાં બગડતી કાયદો વ્યવસ્થાને લઇને વિપક્ષ નેતાઓ નીતિશ સરકાર પર નિશાન સાધી રહ્યા છે. નીતિશ સરકારે એક આદેશ જાહેર કર્યો છે કે સોશિયલ મીડિયા પર નેતાઓ અને અધિકારીઓ પર ટિપ્પણી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું નીતિશ કુમાર પોતાની નિષ્ફળતાઓ છતી થતી રોકવા પ્રતિબંધો લગાવી રહ્યા છે. નીતિશ પર વિરોધીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પર તાનાશાહીનો આરોપ લાગી રહ્યો છે.