UP: આગના કારણે હજારો એકર ઘઉંનો પાક બળીને ખાખ, ફોન કરવા છતાં મોડા આવતા પોલીસ પર ગામજનોનો હુમલો
Continues below advertisement
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા હજારો એકર ઘઉંનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. ગામના લોકોએ ઘટનાની જાણ કરી તેના બે કલાક બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. નારાજ ગામલોકોએ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો અને પોલીસ જીપને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગામ લોકોના હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ જવાન ઘાયલ થયા હતા.
Continues below advertisement