Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી

Continues below advertisement

PMJAY મા યોજનામાં ગેરરીતિ કરવા બદલ જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટ્યુટને કરવામાં આવી સસ્પેન્ડ.. આ હોસ્પિટલને કૂલ 105 કાર્ડિયાક પ્રોસિઝરમાં ગેરરીતિ બદલ છ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો.. જેસીસી હાર્ટ ઈન્સ્ટીટ્યુટના ડોક્ટર પાર્શ્વ વ્હોરાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિસ સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિને લીધે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.. હોસ્પિટલે PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિઝરની જરૂરીયાત હોવાનું દર્શાવ્યુ હતુ.. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલે કરેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી.. જેમાં જરુર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસિઝર કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો.. 

આરોગ્ય વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન રાજ્યની અન્ય બે ખાનગી હોસ્પિટલોને પણ દંડ કરીને નોટિસ ફટારવામાં આવી છે.. પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર સર્જરી કરતા હોવાનો અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતા વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદ 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.. 


આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે.. PMJAY મા યોજના એ ગરીબ અને જરૂરીયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે.. તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola