રાજીનામું આપનાર ધારાસભ્યોને ટિકિટનું કમિટમેન્ટ અપાયા હોવાની CM રૂપાણીની કબૂલાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ધારાસભ્ય પદથી રાજીનામું આપનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને બીજેપીમાંથી ટિકિટ આપવાનું વચન અપાયું હોવાનો થયો મોટો ખુલાસો. રાજ્યસભામા ભાજપના ઉમેદવારની જીત થાય એ માટે ધારાસભ્ય પદથી રાજીનામું આપનાર પાંચ નેતાઓને પક્ષની ટીકીટ નું વચન પહેલેથી જ અપાયું હોવાનું ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર્યું હતું. રાજ્યસભામાં બીજેપીને મજબૂત કરવા ગુજરાત વિધાનસભાના સભ્યથી રાજીનામું આપનાર ધારાસભ્યોને ટિકિટ મળે એ એમનો હકક હોવાનો પણ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો.