Gujarat cabinet expansion 2025: નવા મંત્રીઓના શપથને લઈને એક્સક્લુઝીવ જાણકારી, જુઓ મોટા સમાચાર
Gujarat cabinet expansion 2025: નવા મંત્રીઓના શપથને લઈને એક્સક્લુઝીવ જાણકારી, જુઓ મોટા સમાચાર
દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, ઑક્ટોબર 17, 2025 ના રોજ થવાની એક્સક્લૂઝિવ માહિતી મળી છે. નવા મંત્રીઓ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથ લે તેવી શક્યતા છે, જેના માટે રાજભવન અથવા મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. હાલમાં રાજભવનના બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી આવતીકાલે રાજ્યપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલા/કૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ/ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.
રાજ્યમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. abp અસ્મિતા પાસેની એક્સક્લૂઝિવ માહિતી મુજબ, શુક્રવાર ના રોજ નવા મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં યોજાય તેવી સંભાવના છે. સમારોહનું આયોજન રાજભવન અથવા મહાત્મા મંદિરમાં થઈ શકે છે. રાજભવનમાં આવેલા બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તરણની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી આવતીકાલે (બુધવારે, ઑક્ટોબર 15, 2025) રાજ્યપાલને મળીને શપથગ્રહણ માટેનો સમય માંગશે.