Kirit Patel: વોટિંગ બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન | Abp Asmita

Kirit Patel: વોટિંગ બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન | Abp Asmita 

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે આણંદપુર ગામે પોતાનો મત આપ્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ 25,000થી વધુ મતોની સરસાઈથી જીતશે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી વિકાસના એજન્ડા પર આધારિત છે અને તેમનો ઉદ્દેશ્ય આગામી 800 દિવસમાં વિસાવદરમાં ₹1000 કરોડના વિકાસ કાર્યો સ્થાપિત કરવાનો છે. કિરીટ પટેલે દાવો કર્યો કે વિસાવદરના લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને હવે નકારાત્મક રાજકારણને નકારી રહ્યા છે, જેનો મતદારો યોગ્ય જવાબ આપશે.                                   

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola