પોતાની રાજનીતિ ચમકાવવા વિપક્ષ ખેડૂતોનો ઉપયોગ કરે છેઃ PM મોદી
ખેડૂત આંદોલનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના રાયસેનમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સંબોધન કર્યું હતું.જેમાં તેમણે કહ્યું, મધ્યપ્રદેશના 35 લાખ ખેડૂતોના ખાતમાં 1600 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમાં કોઈ આડતિયા નથી. સીધા સરકારમાંથી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ રહ્યા છે. આજે કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહ્યું છે, જેનાથી ખેડૂતોને ઋણના મામલામાં સરળતા થઈ રહી છે.