Rahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશું

Continues below advertisement

Rahul Gandhi In Gujarat: લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદમાં છે.કોંગ્રેસના કાર્યલયની તૂટ્યા બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંઘીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે અયોધ્યા રામ મંદિર મુદ્દે પ્રહાર કરતા કટેલાક ઘટસ્ફોટ પણ કર્યાં હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, રામ મંદિરના નિર્માણના કારણે પીએમ મોદી વારાણસીથી નહિ પરંતુ અયોધ્યાથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ  નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી આ હાર જોઇ જતાં આખરે તેમણે વારાણસીથી લડવાનો નિર્ણય કર્યો.  વારાણસીમાં પણ પીએમ મોદીની પાતળી સરસાઈથી જીત્યાં.રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત દરમિયાન  ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો, હરણી કાંડના પીડિત પરિવારને મળ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram