Rajkot Fire Tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક પાપનો પર્દાફાશ

રાજકો TRP ગેમઝોન અગ્નિકાંડમાં પોલીસ અને મહાપાલિકાનું પ્રશાસન જવાબદાર છે એટલો જ જવાબદાર છે પુરવઠા વિભાગ.12 માસૂમ સહિત 28 લોકોને ભરખી જનારા આ અગ્નિકાંડમાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ઘટનાના 72 કલાક બાદ પણ પુરવઠા વિભાગ આટલી મોટી માત્રામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તે જાણવામાં નિષ્ફળ રહ્યો છે. કલેકટર તરફથી પેટ્રોલ- ડિઝલનો મોટી માત્રામાં જથ્થો કેવી રીતે મેળવ્યો તે અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે. પરંતું પુરવઠા વિભાગ કાર્યવાહી તો દૂર પણ આ જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને આપ્યો હતો તે હજુ સુધી જાણી શક્યું નથી. જો પુરવઠા વિભાગની ઈચ્છાશક્તિ હોય તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola