Saurashtra Flood | તાત્કાલિક વરસાદી નુકસાનનો સર્વે કરી સહાય ચુકાવવા કોંગ્રેસની માંગ

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને ઇમેલ કરીને સૌરાષ્ટ્રમાં પૂરથી થયેલા નુકસાનની સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને ઇમેલ કરીને 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકશાની સર્વે કરવા કરી માંગ. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં નુકશાની સર્વે કરવા કરી માંગ.

ઘેડ પંથકના 40-45 ગામો સંપર્ક વિહોણા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર આપવામાં આવે, તેવી માંગ પત્રમાં કરવામા આવી છે. નાગરિકો, વેપારીઓને થયેલ નુકશાની સામે તાત્કાલિક વળતર આપવામાં આવે. આ સાથે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયાએ યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે, હજુ તો વરસાદ ચાલુ છે, ત્યારે સરકાર પૂર નુકસાન અંગે શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola