Ganeshsinh Jadeja : ગોંડલની જનતાએ અલ્પેશને જવાબ આપી દીધો છે, ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી

Continues below advertisement

Ganeshsinh Jadeja : ગોંડલની જનતાએ અલ્પેશને જવાબ આપી દીધો છે, ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી

ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજાના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.

જયરાજસિંહ જાડેજાના ઘરે ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા છે. દરેક સમાજના રાજકીય આગેવાનો જયરાજસિંહના ઘરે પહોંચ્યા છે. પાટીદાર તથા અન્ય સમાજના અગ્રણીઓ જયરાજ સિંહના બંગલે પહોંચ્યા છે. ભાજપ તથા સહકારી અગ્રણીઓ હાઈ પ્રોફાઈલ ડ્રામા વચ્ચે જયરાજસિંહના ઘરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola