Geniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્તમાન ગૃહમંત્રીના કાર્યકાળમાં ગુનાખોરીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, "હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે આજે પાંચ-પાંચ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. પીડિત પરિવારો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જો આવા બળાત્કારીઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોત તો તેમને અભિનંદન આપત, પરંતુ વર્તમાન ગૃહમંત્રીના સમયમાં જેટલા ગુનાઓ વધ્યા છે તેટલા ભૂતકાળમાં ક્યારેય વધ્યા નહોતા."

પોલીસ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે પણ ગેનીબેન ઠાકોરે સખત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "એક સમયે PSIની બદલી થતી ત્યારે ગામના લોકો તેમને વિદાય આપતા હતા, કારણ કે તેઓ સારી કામગીરી કરતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે PSIની બદલી થાય તો બુટલેગરો તેમને ફુલહાર પહેરાવીને સન્માનિત કરતા જોવા મળે છે."

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola