Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?
Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?
Onion Price News: રાજ્યમાં ખેડૂતોને લઇને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકોમાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ એકાએક ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હાલમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ મણ દીઠ 100 થી 300 બોલાઇ રહ્યાં છે, જેના કારણે ઉત્પાડન પડતર કરતાં ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મબલખ પાક થયો છે પંરતુ ભાવ ના મળતા ડુંગળીના ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, અત્યારે રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં એક મણ ડુંગળીનો ભાવ માત્ર 100થી 300 મળતો હોવાનો ખેડૂતોનો દાવો છે. લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને પીળીપતી ડુંગળીની મબલખ આવકથી ભાવ ગગડ્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. રાજકોટ માર્કેટયાર્ડમાં દરરોજની 5 હજાર ગુણી ડુંગળીની આવક નોંધાઇ રહી છે. આ સાથે જ વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પણ પીળીપતી ડુંગળીની આવકો થઇ રહી છે. ખાસ વાત છે કે, ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો હટાવ્યા બાદ પણ સ્થિતિ જેમની તેમ જ છે. ચિંતાની વાત તો એ છે કે, ડુંગળીના ખેડૂતો પોતાની ઉત્પાદન પડતર કરતા 200 રૂ. નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે.