Rajkot News | રાજકોટ દુર્ઘટનામાં બિલ્ડરને બચાવવા પ્રશાસનના ધમપછાડા, જુઓ અહેવાલ

Rajkot News | રાજકોટ સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે અમારા તરફથી સ્ટબિલિતી રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. ઘટના બાદ જરૂરી પગલા લેવામાં આવ્યા છે. જે સ્થળ ઉપર બાંધકામ છે તેને લઈને રી-ડેવલપ કરવા અને અન્ય ડિઝાઇન અંગે પણ જરૂરી પગલાં લેવામાં આવનાર છે. જ્યા દુર્ઘટના થઈ છે વોકળાવાળી જગ્યા ને સ્ત્રકચર સ્ટબિલીતી રીપોર્ટ કરાવ્યો. મુખ્ય ચોક થી લઈને અન્ય જ્યા જગ્યા આવેલી છે તેને રી-ડેવલપ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલોક ભાગ ખાનગી છે જેની સ્ત્રક્ચર સ્ટબીલિતી થાય તે માટે પણ અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જનરલ બોર્ડના વિપક્ષના સવાલ અંગે વોકળો અને નદી સહિત ની માલિકી કોર્પોરેશન અને સરકારી રહેતી હોઈ છે rmc ની માલિકી છે. આ મુદ્દો ધ્યાનેં લઈને ચોક નાં વિસ્તાર ની જગ્યા રિ-ડેવલપ કરવામાં આવશે. આ જગ્યા અંગે અગાઉ જે તે વખતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લઈ ને મજૂરી આપી હતું. હાલ આવી મંજૂરી બંધ કરી છે. આ મામલે પોલીસ કાર્યવાહી અંગે દુર્ઘટના સંદર્ભે અમારા તરફ થી ફરિયાદ આપી છે,જે કાર્યવાહી કરવાની હસે એ કરીશું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola